શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપક ડૉ.મનોજ ગોંગીવાલા એ જલારામ મંદિર મેઘરજ, રાજસ્થાન પીઠ, શ્રી પંડ્યા કુમાર કન્યા શાળા સીમલવાડા માં સવાર ની સભામાં પ્રેરક પ્રવચન મા વૃક્ષોનું મહત્વ પર સમજ આપી શાળાઓમાં વૃક્ષોનું સમર્પણ કર્યું. તમામ વિદ્યાર્થીઓ ને ગ્લુકોઝ બિસ્કિટસ્ નું વિતરણ કરવામાં આવ્યું.
જલારામ મંદિર મેઘરજ ના સેવક શ્રી બિહારી પંડ્યા તેમજ વિદ્યાર્થીનીઓ સ્ટાફ મિત્રો સાથે વૃક્ષારોપણ કર્યું. આચાર્યશ્રીઓ તથા સ્ટાફ મિત્રો એ કાર્યક્રમને સફળ બનાવ્યો.
ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે ચાલીસ લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર સવા બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ, વૃક્ષ વિતરણ સેવા પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.