મેઘરજ તાલુકાના ઈસરી બારા પંચાલ સમાજની સાધારણ સભામાં પસંદ થયેલા 40 કારોબારી સભ્યોમાંથી નવીન હોદ્દેદારોની નિમણૂક માટે ખાખરીયા ગામે મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિશ્વકર્મા દાદાના દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો. શ્રી છગનભાઈ પંચાલે સૌને આવકાર્યા હતા.ત્યારબાદ મંત્રીશ્રીએ નવીન કારોબારીની રચના માટે પ્રસ્તાવ મૂક્યો હતો.જે
માં
પ્રમુખ ÷શ્રી શિવુભાઈ એમ. પંચાલ (ખાખરીયા )
ઉપ-પ્રમુખ÷શ્રી સુખાભાઈ કે. પંચાલ (વાવ કંપા)
ઉપપ્રમુખ÷ શ્રી ગિરીશભાઈ બી. પંચાલ (શણગાલ)
મંત્રી ÷શ્રી કમલેશભાઈ એમ. પંચાલ (ઈસરી )
સહમંત્રી÷ કમલેશભાઈ એમ. પંચાલ (તરકવાડા)
ખજાનચી÷ શ્રી કિશોરભાઈ બી. પંચાલ (દહેગામડા)
આમ ઉપરોક્ત પ્રમાણે હોદ્દેદારોની પસંદગી થતાં સર્વેએ આવકારી અને દરેકે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. સૌએ ત્રણ વર્ષ માટે સંસ્થાનું કામ સારું થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.