ભિલોડામાં મહાકાળી મંદિરમાં નવચંડી હવન ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર યોજાયો

ભિલોડામાં હાથમતી નદી કિનારે પવિત્ર પાવન નયનરમ્ય અલૌકિક ધાર્મિક વાતાવરણમાંશ્રી



મહાકાળી મંદિર પરિસરમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવ અને નોમ નિમિત્તે ભકિતભાવ પુર્વક ભક્તિમય માહોલમાં નવચંડી હવન યોજાયો હતો.માંઈ-ભકતો દર્શનાર્થે ઉમટયા હતા.માંઈ-ભક્તો એ નવચંડી હવનની પુર્ણાહુતી દરમિયાન શ્રીફળ અને કમળનો હોમ આપી દર્શન કરીને પ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી.શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ, ટ્રસ્ટીઓ, આયોજકો, યજમાનો, શ્રધ્ધાળુ ભાવિક - ભક્તો સહિત ગ્રામજનો એ નવચંડી હવનના ધાર્મિક કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P