શ્રી
એમ એલ ગાંધી સંચાલીત સર પી ટી સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજ સેવી અધ્યાપક ડૉ મનોજ ગોંગીવાલા દ્વારા મેઘરજ ની બી. ટી. છાપરા, કંટાલુ પ્રા.શાળા ના આચાર્યશ્રી, બી. ટી. છાપરા પ્રા શાળા ના આચાર્ય વિનોદભાઈ પટેલ શિક્ષક ગણ, વાલી મિત્રો ની હાજરી મા પ્રેરક પ્રવચન બાદ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ વિતરણ કંટાલુ પ્રા. શાળા મા કરવામાં આવ્યું.
માઁ અંબે ના સેવકે ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં ૩૪ લાખ બિસ્કિટ રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે પોતાના સમયે કરી રહ્યાં છે.