મેઘરજ શ્રી
એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ના રસાયણશાસ્ત્ર ના દાનવીર, સમાજસેવી, દેવરાજ સમાજ રત્ન, ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમકેર અલવર, નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ થી સન્માનિત મનોજે ગોરવાડા, ધરોલા પ્રા. શાળા મા સવાર ની પ્રાર્થના સભા મા પ્રાર્થના અધ્યાત્મ સ્વચ્છતા પર પ્રવચન આપી ગ્લુકો બિસ્કીટ પારલે જી ના પેકેટ્સ નું સમર્પણ કર્યું. ડૉ.મનોજે 33 લાખ બિસ્કીટસ્ રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર જેટલા કાર્યક્રમ કરી જરૂરિયાત હોય તેવા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે પોતાના સમયે ચૈત્રી નવરાત્રી 2023 થી કરી રહ્યા છે.