આર્યુવેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ નો ઉદ્દેશ્ય મોડાસા શહેર ની પ્રજા ને આરોગ્ય અને સુખાકારી ના હેતુસર આયુષ આધારિત સેવાઓ પૂરી પાડવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પ માં આરોગ્ય લક્ષી પ્રશ્નો નું નિરાકરણ, આયુષ આધારિત પદ્ધતિ ઓ નું માર્ગદર્શન,આદર્શ જીવનશૈલી માર્ગદર્શન,આહાર વિહાર માર્ગદર્શન,પ્રકૃતિ પરી ક્ષણ ,રોગ પ્રતિકાર અમૃત પે આયુર્વેદ ઉકાળો,યોગ તથા તેના દ્વારા રોગો ની સારવાર વગેરે નું માર્ગ દર્શન આપવામાં આવ્યું.આર્યુવેદિક જીવન પધ્ધતિ અપનાવવા દિનચર્યા,ઋતુચર્યા નું માર્ગદર્શન આપવામાં આવ્યું.આ નિદાન સારવાર કેમ્પ માં કુલ 438 લાભાર્થીઓ એ લાભ લીધો હતો.આવા આર્યુવેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ ના આયોજનો દ્વારા *હર દિન હર ઘર આર્યુવેદ* ને સાકાર કરવાનો છે.જે આજના આધુનિક યુગમાં પણ દરેક વ્યક્તિ પરંપરાગત આર્યુવેદ ઉપચાર પધ્ધતિ ઓનું મહત્વ દર્શાવે છે. આ આર્યુવેદ નિદાન સારવાર કેમ્પ ની સફળતા એ સાબિત કરે છે કે સરકારી વિભાગો અને સ્થાનિક સમુદાય લોકો ના સહયોગ થી આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન લાવી શકાય આ આર્યુવેદ નિદાન સારવાર કેમ્પ માં મુખ્ય મહેમાનો બાબુભાઇ ટાઢા, હાજી ઈકબાલભાઈ ઇપ્રોલીયા, (ચેરમેન સર્વોદય સહકારી બેંક )સલીમ ભાઇદાદુ(દાદુજનરલવારા.)ઇદરીશભાઇ શેખ,ઇકબાલ હુસેન ઘોરી,મજૂરભાઇ ચેરમેન બહાવીર મંડળી ,હનીફભાઇ બેલીમ, ઉસ્માનભાઇ સુથાર, લાલા સામાજિક કાર્યકર...બાબુ ભાઇ મલેક,તથા મખદુમ ગ્રુપના પ્રમુખ હાજી તાહિરહુસૈન ઈપ્રોલીયા .. કન્વિનર મકબુલ ભાઈ સૈયદ.. મુન્નવર સુથાર .. શહીદ મલેક ગેટિંગ મોહસીન બાંડી તમામ હોદેદારો તથા અરવલ્લી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. જગદીશભાઈ ખરાડી
, આર્યુવેદ હોસ્પિટલ મોડાસા વૈદ્ય પંચકર્મ ડૉ .અશ્વિનભાઈ પટેલ ડો.બીપીનભાઈ ખરાડી , ડૉ. નિકિતા બેન પટેલ, ડૉ.ડિમ્પલ બેન અસારી, ડૉ.ચંદ્રપાલ સિંહ ચૌહાણ, ડૉ .નિમેષ ભાઇ દેવમોરારી , ડૉ.વિપુલ ભાઇ પટેલ, ડૉ.હાર્દિક ભાઇ બ્રહ્મ ભટ્ટ, તથા યોગ ઇન્સ્ટ્રક્ટર, આયુર્વેદ વિભાગ ના સ્ટાફ મિત્રો હાજર રહી આ આર્યુવેદ નિદાન સારવાર કેમ્પ ને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ નું આયોજન મખદુમ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.