એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણશાસ્ત્રના સમાજ સેવી, દાનવીર દેવરાજ સમાજ રત્ન ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમ કેર અલવર, નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ ખાતે થી સન્માનિત અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા ભાઠ, સિસોદરા, કંભરોડા, બાંઠવાડા, વાસણા, નવી ભુવાલ શાળાઓ માં પ્રેરક પ્રવચન બાદ સ્માર્ટ વ્યુબોર્ડ પર પ્રાર્થના બાળવાર્તા દર્શાવી પ્રશ્નોત્તરી કરી. બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લઇ જવાબો આપ્યા. એમની સાથે જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ ના પરમ પૂજ્ય પૂજારી બિહારી પંડ્યાજી ઉપસ્થિત રહ્યા. આચાર્યશ્રી મનુભાઈ ડામોર, પ્રજ્ઞાબેન પંડ્યા, કનુભાઈ ભગોરા તેમજ સ્ટાફ મિત્રો એ કાર્યક્મો ને સફળતાં અપાવી. નવી ભુવાલ ખાતે શારીરિક તકલીફ વાળા બાળા ને વસ્ત્ર અર્પણ કરવામા આવ્યું.
ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી ડૉ. મનોજે અત્યાર સુધીમાં 0.35 કરોડ પાર્લે જી રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ સંસ્થાઓ મા બે હજાર જેટલા કાર્યક્રમો સાથે જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે.